વાયુ વાવાઝોડાનુ સંકટ ભલે ગુજરાત પરથી દુર થયુ હોય પરંતુ તેની અસરની શક્યતાના પગલે સતત વહીવટી વિભાગ જોખમી સેવા અને વિભાગીય સેવા બંધ કરી રહ્યા છે. કંડલા,ભુજથી હવાઇ સેવા અને મુંબઇ જતી રેલ્વે સેવા બંધ કર્યા બાદ આજે નવો નિર્ણય ન આવે ત્યા સુધી કચ્છમાં તમામ એસ.ટી સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.