મહા વાવાઝોડાની અસર હાલ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતનાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે દરિયા કિનારાના જિલ્લાઓમાં તંત્ર એલર્ટ પર છે. આ ઉપરાંત દરિયા કિનારાના પ્રવાસન સ્થળો પરથી પણ નાગરિકો પરત ફરી રહ્યા છે. વિવિધ આયોજનો પણ રદ્દ કરવામાં આવી રહ્યા છે. મહાને કારણે દરિયાકાંઠે યોજાતા મેળાઓ પૈકી આ બીજો મેળો રદ્દ થયો છે. અગાઉ માધોપુરનો મેળો પણ રદ્દ કરવામાં આવ્યો હતો.