પીએમ મોદી (PM Narendra Modi) આજે રામલીલા મેદાનમાં સવારે 11 વાગે ઐતિહાસિક જનસભાને સંબોધશે. જેમાં 11 લાખ લોકોના હસ્તાક્ષરવાળી એક કોપી તેમની ભેંટ આપવામાં આવશે. ભાજપની આ રેલીમાં એક તીરથી બે નિશાન સાધવાની કોશિશ કરવામાં આવી રહી છે. દિલ્હી (Delhi) ભાજપના નેતાઓએ આ રેલીને ધન્યવાદ રેલી નામ આપ્યું છે કારણ કે હાલમાં જ કેન્દ્ર સરકારે 1731 અનાધિકૃત કોલોનીઓમાં લોકોને તેમના મકાન અને ભૂખંડનો માલિકી હક આપવાનો નિર્ણય કર્યો છે. આ કામ બાદ લોકોને જે વર્ષોથી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે હવે ખતમ થશે.