કોરોના વાયરસની અસરના મામલે અમદાવાદના ગીતા મંદિર એસ ટી ડેપો પર લોકોની અવરજવર રાબેતા મુજબ જોવા મળી રહી છે. પ્રવેશ દ્વાર પર સ્ટાફ દ્વારા પૂરતું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સ્ટાફ દ્વારા મુસાફરોને સેનેટાઇઝર અપાઈ રહ્યું છે. સામાન્ય દિવસોની જેમ જ મુસાફરોની સંખ્યા યથાવત જોવા મળી હતી.