રાજકોટની સરકારી હોસ્પિટલમાં નવજાત શિશુના મોતનો મામલો ગરમાયો છે ત્યારે આખા રાજ્યની સરકારી હોસ્પિટલોમાં શિશુ મૃત્યુ દર નોંધપાત્ર રીતે વધુ હોય તેવા આંકડા બહાર આવી રહ્યા છે ત્યારે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ ની શું હાલત છે અને અહીંયા સુવિધા છે અત્યાર સુધીમાં કેટલા બાળકોના મૃત્યુ થયા છે આ તમામ બાબતો ની વિગત મેળવવા માટે આજે મહિલા કોંગ્રેસ દ્વારા વડોદરા એસએસજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર આપી છેલ્લા છ મહિનામાં હોસ્પિટલમાં થયેલા બાળકોના મોત ની વિગત માંગી હતી.