ભાદરવીના પૂનમના મેળાની વિધિવત રીતે પૂર્ણાહુતિ થઈ છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરમાં માં અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. અને લાખો લોકોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. આ ઉપરાંત રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ અંબાજી પહોંચ્યા હતા અને તેમણે મા અંબેને શીશ ઝૂકાવી ધ્વજા ચડાવી હતી. બોલ માડી અંબે. જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું.