સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારો થયો હતો. દેવી પૂજક સમાજ અને સામાન્ય પબ્લિક વચ્ચે પથ્થરમારો થયો હતો. શરૂઆતમાં દેવીપૂજક સમાજની અંદરો અંદર બોલાચાલી થઇ હતી અને બોલાચાલી બાદ પથ્થરમારો થયો હતો. જેમાં પથ્થર ત્યાંથી પસાર થતાં એક વ્યક્તિને વાગ્યો હતો. કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પડ્યો હતો. ત્યારે આ ઘટનામાં 4 લોકો ઇરજાગ્રસ્ત થયા હતા.