કરમસદની સરસ્વતી હાઈસ્કૂલમાં 26 જાન્યુઆરીના રિહર્સલ દરમિયાન પરેડ કરી રહેલ 9માં ધોરણના અભ્યાસ કરતા વિદ્યાર્થીને ચક્કર આવતા સારવાર અર્થે કરમસદ હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સુયોગ મનીષભાઈ સોનીને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વિધાર્થીની બંને આંખોનું દાન પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.