એક પહેલા દુનિયાનું સૌથી ઊંચુ સ્ટેચ્યુ બનાવીને તેની પાસે સ્થાનિક લોકોને રોજગારી આપવાના જે બણગા ગુજરાત સરકાર દ્વારા ફૂંકવામાં આવ્યા હતા, તે દાવા હવે પોકળ સાબિત થઈ રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વસ્તુઓ વેચીને રોજીરોટી રળી રહેલા ગરીબોના લારી-ગલ્લા હટાવી લેવા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવનાર છે. આજે સ્ટેચ્યુ પાસે ચા-નાસ્તો વેચનારાઓ હટાવી દેવામાં આવશે.