આજે દસ દિવસનો આતિથ્ય માણ્યા પછી વિઘ્નહર્તાને વિદાય અપાઈ રહી છે. દેશભરમાં વાજતે-ગાજતે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં સરકારે કૃત્રિમ તળાવનું આયોજન કર્યું છે અને કૃત્રિમ તળાવમાં જ ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના જળાશયો પ્રદૂષિત ન થાય તેમાટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ વાજતે-ગાજતે ગણેશજીને વિદાય આપી રહ્યા છે. તો વિદાય દરમિયાન અનેક લોકોના આંખ આંસુ પણ આવી રહ્યા છે. ગણપતિ વિસર્જનને લઈને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.