રાજ્ય સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો લાગુ કરાયા પછી હાલ RTO કચેરીના કામકાજમાં વધારો થઈ ગયો છે. નાગરિકોને RTO સંબંધિત કાર્યોમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાજ્યની તમામ RTO કચેરીઓને રવિવારના દિવસે પણ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ નવા ટુ વ્હીલરની ખરીદી સાથે ફરજિયાત હેલ્મેટ આપવા અંગેનો પરિપત્ર પણ સરકારે બહાર પાડ્યો છે.