અમદાવાદ (Ahmedabad)માં આજથી 31મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (Kite festival)નો પ્રારંભ થયો છે. સાબરમતી રિવરફ્રન્ટમાં યોજાનારા પતંગ મહોત્સવનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું છે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા છે. આ વખતે 43 દેશોના 153 પતંગબાજો અને ગુજરાત સહિત 12 રાજ્યોના 115 પતંગબાજો સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. પતંગ મહોત્સવના ઉદ્ઘાટન સમયે સોલા ભાગવત વિધાપીઠના 200 ઋષિ કુમારો સૂર્યવંદના કરી છે અને અમદાવાદ કોર્પોરેશન સંચાલિત શળાના 1500 વિદ્યાર્થીઓ સુર્ય નમસ્કાર કરી રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો છે.