અમદાવાદના લાખ્ખો પ્રકૃતીપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેવો ફ્લાવર શો 4 જાન્યુઆરી થી 19 જાન્યુઆરી સુધી રીવરફ્રન્ટ ઉપર યોજાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સતત આઠમાં વર્ષે આયોજીત કરાયેલો ફ્લાવર શો રીવરફ્રન્ટના પશ્ચિમ કિનારા ઉપર ફ્લાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટરમાં યોજવામાં આવી છે. જો કે, મુખ્યમંત્રી લોકાર્પણ કરે તે પહેલાં પ્રવેશ વ્યવસ્થાને લઈ વિવાદ સર્જાયો હતો. પોલીસ દ્વારા પ્રવેશ મામલે કડક વલણ અપનાવાતા સાશકોમાં રોષ જોવા મળ્યો હતો. શાસકો અને ઉચ્ચ અધિકારીઓની વાટાઘાટો બાદ મામલો શાંત થયો હતો.