રાજકોટમાં આજે ચારણ, ભરવાડ અને રબારી સમાજની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક રક્ષક ભરતીમાં અનુસૂચિત જાતિ કેટેગરીમાં સમાવવામાં ન આવતા ભારે રોષ જોવા મળી રહ્યો હતો. મોરબી રોડથી કલેકટર કચેરી સુધી ત્રણેય સમાજના લોકો એક કલાક બાદ આગેવાનો સાથે ચર્ચા બાદ રેલી કાઢી હતી. છેલ્લા એક મહિનાથી બરડા, ગીર અને આલેચ વિસ્તારમાં વસવાટ કરતા ત્રણેય સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે.