સુરતના માંગરોળના ધામરોડ નજીક સાંઇ સીતારામ હોટલમાં 4 લોકોને કરંટ લાગવાની ઘટના બની હતી. જેમાંથી બે યુવકોને કરંટ લાગતા બેના મોત થયાં છે. અન્ય બે વ્યક્તિને ઇજા થતાં હોસ્પિટલમાં લઇ જવાયા છે. સમગ્ર મામલે કોસંબા પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઇને હોટલ કામદારોની સુરક્ષા પર સવાલ ઉઠ્યાં છે.