સુરતના સરથાણા અગ્નિકાંડ બાદ તંત્ર એકશનમાં આવ્યુ છે. સુરત જિલ્લા શિક્ષણાઘિકારીએ શહેરની તમામ સ્કુલોમા ફાયર સેફટી અંગેના સાધનો છે કે નહી તે અંગે તાપસ શરૂ કરી, શિક્ષણાધિકારીએ ડીંડોલી, લિંબાયત, પુણાગામ તથા ઉધના વિસ્તારોમા તપાસ શરુ કરી હતી. તપાસમાં કેટલીક સ્કુલોની ટેરેસ પર છાપરા, વાયરો બહાર લટકતા જોવા મળ્યા તો કેટલીક સ્કૂલો બીયુસી પરમિશન વગર ચાલી રહી હતી.