રાજય સરકારના આદેશ બાદ હવે મનપા મચ્છરોને મારવા માટે ગપ્પી માછલીનો સહારો લેશે. ખાસ પ્રકારની ગપ્પી માછલી શહેરના અલગ અલગ 3000 સ્થળો પર નાંખવામા આવી છે. ગપ્પી માછલી પાણીજન્ય રોગ માટે જવાબદાર મચ્છરોને મારી નાખે છે. સાથે જ તેના ઉપદ્રવને પણ અટકાવે છે.