સુરતમાં કરંજના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીના કાર્યાલયે વિવેકાનંદ સોસાયટીના લોકોએ હોબાળો મચાવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી પહેલાં ધારાસભ્યએ તેમના વિસ્તારમાં ડિમોલિશન નહીં થાય તેવું વચન આપ્યું હતું તો હવે ડિમોલિશનનું કામ શા માટે? સુરતના લોકો ઘરવખરીનો સામાન લઈને MLA પ્રવીણ ઘોઘારીની ઑફિસે પહોંચ્યા.