સુરતના લિબાયતમાં બાળકીનું અપહરણ અને દુષ્કર્મ બાદ હત્યા મામલામાં નરાધમ અનિલ યાદવે ફાંસીમાંથી રાહત મેળવવા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અનિલ યાદવે લાજપોર જેલના સુપ્રિન્ટેન્ડન્ટને લેખિતમાં અરજી કરી છે. વકીલ દ્વારા કેસનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ સુરતની કોર્ટે આપેલ ચુકાદો અને હાઇકોર્ટની બહાલીને ધ્યાનમાં લઈ અરજી સુપ્રીમમાં ફાઇલ કરવામાં આવશે. 14 મી ઓક્ટોબર 2018 સુરતના લિંબાયત ગોડાદરા વિસ્તારમાં ઘટના બની હતી.