ભાટિયા ટોલ નાકા પર સુરત અને બારડોલી પાર્સિંગના વાહન ચાલકોને ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે આંદોલન છેડવામાં આવ્યું છે. પંદર દિવસની અંદર જો ટોલ ટેક્સમાંથી વાહન ચાલકોને મુક્તિ નહીં આપવામાં આવે તો સાંસદો અને ધારાસભ્યોના નિવાસસ્થાન બહાર ઘેરાવ કરી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.