રાજકોટથી મુંબઇ જઇ રહેલી ટ્રેનમાં સુરત નજીક લૂંટારીઓ મહિલાનું પર્સ અને ચેઇન ચોરી કરી હતી. જો કે મહિલાએ ટિકિટ ચેકરને જાણ કરતા ચેઇન પુલિંગ કરાયું હતું. રેલવે પોલીસ દ્વારા સર્ચ કરાતા ખેતરમાંથી પર્સ મળી આવ્યું હતું. જ્યારે ટ્રેન રોકાયા બાદ પોલીસ ચેકિંગ દરમિયાન ટ્રેન પર પથ્થરમારો પણ થયો હતો.