વૈષ્ણોદેવીના દર્શન કરવા ગયેલા ગુજરાતની બસને કાશ્મીરમાં અકસ્માત નડ્યો છે. જમ્મુ-પઠાનકોટ હાઈવે પર બસ પલટી ખાતા બે લોકોની મોત થયા છે. તેમજ 24 લોકો ઘાયલ થયાની માહિતી મળી છે. સુરતના શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવી દર્શન માટે ગયા હતા. તેઓ દર્શન કર્યા બાદ વાઘા બોર્ડર તરફ જવા નીકળ્યા હતા.