સુરતના લિંબાયતમાં પથ્થરમારાનો મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પથ્થરમારાની ઘટના ષડયંત્ર હતી. પોલીસે 120B કલમનો ઉમેરો કર્યો. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ. આ ઘટનામાં એક પોલીસ કર્મી ઘાયલ થયો હતો. 200થી વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો.