મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરેન્દ્રનગર શહેરની મુલાકાત લીધી... જ્યાં મુખ્યમંત્રી 80 કરોડથી પણ વધારેના વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ... ઓવરબ્રિજ, આવાસ યોજના, પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉનહોલ જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો...તો સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજના તળે વિચરતી વિમુક્ત જાતિના લોકોને જિલ્લા કલેકટર કે.રાજેશ દ્વારા તાત્કાલિક પ્લોટ ફાળવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસંશા કરી હતી...