'વાયુ' વાવાઝોડાની દિશા બદલાઈ હોવાનું રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. હવે વાવાઝોડું વેરાવળને બદલે પોરબંદર તરફ ડાયવર્ટ થયું છે. દિશાની સાથે સાથે સમય પણ બદલાયો છે. હવે વાવાઝોડું સવારને બદલે બપોરે ત્રાટકવાનું છે. 24 કલાક સુધી આ વાવાઝોડાની અસર જોવા મળશે. ત્યારે જુનાગઢ અને પોરબંદરમાં સૌથી વધુ અસર થશે. ત્યારે વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ જાણો...