ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના ગાંધીનીગર નજીક નિવાસ વસંત વગડામાં ચોરી થઇ છે. ઘરના એક પૂર્વ નોકર પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે, ઘરમાંથી રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી થવા પામી છે.