અરવલ્લીમાં ભારે વરસાદને કારણે મેશ્વો નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેના કારણે શામળાજી પાસે કોઝવે ધોવાયો હતો. ત્યારે મેશ્વો નદીના ઘોડાપુરમાં કોઝવે તૂટી ગયો હતો અને તે દરમિયાન નદીમાં ત્રણ યુવકો તણાયા હતા. જેમાં બે યુવકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે અન્ય એક યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.