દેશનું બીજું અને ગુજરાતનું એકમાત્ર તિરુપતિ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. જૂનાગઢના ખોરાસામાં આવેલ તિરુપતિ મંદીરના ટ્રસ્ટીઓ અને મહંત વચ્ચેનો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો હતો. તિરૂપતિ મંદિરના આચાર્ય સ્વામી શ્યામનારાયણ આચાર્ય સહીત 5 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલિસ ફરિયાદમાં ટ્રસ્ટના દસ્તાવેજોમાં ટ્રસ્ટીની ખોટી સહીઓ કરી આચાર્યએ મંદિર ઉપર કબ્જો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.