ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની યોગી સરકાર (Yogi Government) અયોધ્યા (Ayodhya)માં ધૂમધામથી દીપોત્સવની તૈયારીઓમાં લાગી છે. આજે તમામ ઘાટો અને આખી અયોધ્યામાં પાંચ લાખ 51 હજાર દિપક પ્રગટાવવામાં આવશે. આ સાથે જ 226 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થશે. કાર્યક્રમમાં પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ફિજી ગણરાજ્યના ઉપસભાપતિ અને સાંસદ વીણા ભટનાગર ઉપરાંત પ્રદેશના તમામ મંત્રીઓ હાજર રહેશે. આ વખતે યુપી સરકાર વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીમાં લાગી છે. આજે સમગ્ર રામનગરીમાં 5 લાખ 51 હજાર દિવડા પ્રગટાવવામાં આવશે.