સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સજા ભોગવતા આસારામના પુત્ર નારાયણ સાંઈએ નીચલી કોર્ટના હુકમ સામે અપીલ કરી હતી. જેમાં તેણે 30 દિવસના વચગાળાના જામીન મેળવવા હાઇકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જેને પગલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.