આજે લાભ પાંચમનો તહેવાર હર્ષ અને ઉલ્લાસભેર ઊજવવામાં આવશે. ત્યારે લાભ પાંચમ એટલે દિવાળીના તહેવારનો છેલ્લો દિવસ કહેવાય છે. તેને સૌભાગ્ય લાગ પાંચમ પણ કહેવામાં આવે છે. આજના દિવસે જીવન વ્યવસાય અને પરિવારમાં લાભ, સારૂ ભાગ્ય અને ઉન્નતિ થાય છે. નવા વર્ષ બાદ લાભ પાંચમનો દિવસ કામકાજ શરૂ કરવા માટે પહેલા દિવસ માનવામાં આવે છે.