ગુજરાત પરથી હાલ પુરતુ તીડનું સંકટ ટળ્યું છે. તીડ રાજસ્થાન તરફ પરત ફર્યા છે. રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ભોયતારા ગામ અને સાકરિયા ગામ વચ્ચેના 6 કિલોમીટરના વિસ્તારમાં તીડે રાત્રી પડાવ કર્યો હતો. ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે તીડે રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું છે.