જામનગરના ગ્રામ્ય પંથકમા ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે વધુ બે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા છે. મધરાત્રીના 2.2 અને 2.3ની તીવ્રતાના ભુકંપના આંચકાઓ અનુભવાયા હતા. છેલ્લા 2 દિવસમાં ભૂકંપના 7 જેટલા આંચકાઓ અનુભવાયા છે.