ભારે હંગામા અને સદનથી ભાજપ અને તેના ઘટક દળોના વોકઆઉટ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સરકારે સદનમાં બહુમત સિદ્ધ કરી દીધો. સદનમાં 169 ધારાસભ્યોએ ઉદ્ધવ સરકારના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે વિરોધમાં 0 વોટ મળ્યા. આ ઉપરાંત 4 મત તટસ્થ હતા. એટલે કે તેમણે કોઇનું સમર્થન ન કર્યું. તેમાં 2 AIMIM, 1 CPM જ્યારે એક ધારાસભ્ય મનસેના હતા. આ પ્રકારે ઉદ્ધવ ઠાકરેની સરકારે સદનમાં બહુમત સાબિત કર્યો.