ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખ્યો છે. સાબરમતી સરસ્વતી નદીના લીકમાં આવતા તળાવો ભરવા બાબતે પત્ર લખ્યો છે. ધરોઈ ઓવરફ્લો થાય તો તેનું પાણી સાબરમતી અને સરસ્વતી નદી સાથે લિંક તળાવોમાં પાણી છોડવા રજુઆત કરાઈ છે. આ પાણી સિંચાઈ તેમજ ભુગર્ભ જળ સંચય અંતગત એ વહી જતું પાણી ઉપયોગી બનશે તેને લઈ રજુઆત કરવામાં આવી છે.