પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ સમુદ અઝઙરને એક વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે 13 માર્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાપરિષદમાં એક પ્રસ્તાવ લાવવામાં આવવાનો હોવાનાં સમાચારો વચ્ચે ચીને સોમવારે કહ્યું કે, માત્ર વાતચીત દ્વારા જ એક જવાબદાર સમાધાન નિકળી શકે છે. ચીને કહ્યું કે, પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવને ઘટાડવા માટે પોતાની વાતચીતમાં સુરક્ષાનાં મુદ્દાઓને એક મહત્વપુર્ણ વિષય બનાવ્યો છે.