નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેમાં પણ ડેન્ગયુના રોગમાં વડોદરાવાસીઓ સપડાયા છે. વડોદરામાં સપ્ટેમ્બર અને ઓકટોબરના 15 દિવસમાં જ મળી કુલ 316 લોકોને ડેન્ગયુના કેસ નોંધાયા છે. જેના કારણે લોકોની હાલત કફોડી બની છે. ચોમાસા બાદ ડેન્ગયુનો રોગ વકરે છે જેના કારણે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. વડોદરામાં આરોગ્ય વિભાગ લોકોની સોસાયટીમાં જઈ જઈ દવાનો છંટકાવ કરે છે. તો ફોગિગ પણ કરે છે તેન છતાં ડેન્ગયુના રોગને નાથવામાં સફળતા નથી મળી રહી. વડોદરામાં પુર બાદ આરોગ્ય વિભાગે સારી કામગીરી કરી હતી. પરંતુ ચોમાસા બાદ આરોગ્ય વિભાગની કામગીરીમાં નિષ્ક્રીયતા જોવા મળી રહી છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ઓકટોબર માસમાં ડેન્ગયુ ખૂબ જ વધ્યો છે. ત્યારે ઝી 24 કલાકની ટીમ પહોચી સ્થાનિકો સાથે વાતચીત કરી.