કાશ્મીરમાં ફરજ બજાવતા વડોદરાના જવાન આરીફ પઠાણ મોહંમદ સફી શહીદ થયો છે ત્યારે વડોદરામાં રહેતા તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.શહીદ જવાનના પાર્થિવ દેહને આજે ફ્લાઈટથી વડોદરા લાવવામાં આવશે અને પરિવારને સોંપવામાં આવશે.ત્યારે શહીદના પરિવારે માગ કરી છે તે મુખ્યમંત્રી વિજય રૂપાણી શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે તેઓના નિવાસ્થાને આવે.નવાયાર્ડની મસ્જિદમાં નમાઝ અદા કર્યા બાદ અંતિમક્રિયા કરવામાં આવશે.