વડોદરાની એમ. એસ. યુનીમાં ઉત્તરવહી કૌભાંડનો મામલો સામે આવ્યો છે. યુનિના વીસી પરિમલ વ્યાસે નિવેદન આપતા કહ્યું હતું કે યુનિના ઈતિહાસમાં પ્રથમવાર આવી ઘટના બની છે. ઘટનાને વખોડતા તેમણે કહ્યું હતું ઘટના ખૂબ ગંભીર છે. પટ્ટાવાળાઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. 21 વિધાર્થીઓની ઉત્તરવહી કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.વીસીએ વધુમાં કહ્યું કે ઉત્તરવહી કૌભાંડ મામલે તપાસ કમિટીની નિમણુંક કરવામાં આવી છે.