આજે વસંત પંચમી પર 175 વર્ષ બાદ દુર્લભ સંયોગ રચાયો છે. આજે મંગળ, શનિ અને ગુરુ ગ્રહનો એવો યોગ રચાયો છે જે છેલ્લે 1845માં રચાયો હતો. આજે મહા મહિનાના સુદ પક્ષની પંચમી છે. આ દિવસને દેવી સરસ્વતીજીના પ્રાગ્ટય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વાગીશ્વરી જયંતી અને શ્રીપંચમી પણ કહેવામાં આવે છે.