રાજ્યમાં વાયુ વાવાઝોડાનું સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં સંકટ આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ વિસ્તારોને રાજ્ય સરકાર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તાપીમાં આકરા તાપથી લોકોને રાહત મળી છે. વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો થયો છે.