વાયુવાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ ગયું હોવાનાં સમાચાર બાદ સમગ્ર તંત્રને હાશકારો થઇ ગયો હતો. જો કે હવે વાવાઝોડુ ફરી કચ્છ તરફ ફંટાયું હોવાનાં અહેવાલો પ્રાપ્ત થયા છે. જેના પગલે આ વાવાઝોડાની અસર થાય તેવા દેવભુમિ દ્વારકા અને કચ્છનાં તંત્રને ફરી એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવી છે.