પુલવામામાં થયેલા આતંકી હુમલાના કારણે દેશભરમાં લોકોમાં ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારે સંબંધ રાખવા માટે નાગરિકો જરાય મૂડમાં નથી. જેના પગલે પાકિસ્તાન સાથે વ્યાપારી સંબંધનો પણ અંત ક રવામાં આવી રહ્યો છે. એપીએમસીએ 150થી વધુ ટ્રકો અટકાવી દીધી છે.