RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાનાં બહુચર્ચીત હત્યા કેસમાં આજે ભાજપનાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીની અરજી પર ચુકાદો આવાની સંભાવનાં હતી. RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં હત્યાનાં મુખ્ય આરોપી માનવામા આવતા ભાજપનાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીએ CBI કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામા આવ્યો હતો. આરોપી દિનુ બોઘા સોલંકી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં CBI કોર્ટનાં ચુકાદા સામે સાક્ષીઓને બોલાવી ચુકાદા સામે અરજી કરવામાં આવી હતી.