દેશના ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ 20 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે. શિવરાત્રી પૂર્વે સોમનાથ દાદાના ચરણોમાં ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ શિશ ઝુકાવી પૂજન અર્ચન કરશે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ સમારોહમાં હાજરી આપશે. સંસ્કાર ભારતી દ્વારા શિવરાત્રી નિમિતે 20, 21 અને 22 એમ ત્રણ દિવસ માટે કાર્યક્રમનું આયોજન કરાયું છે.