પાલીતાણાના ધારાસભ્યની ઉપસ્થિતિમા કેનાલમાં પાણી છોડાયું હતું. ખેડૂતોની માંગને લઈ શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. ડાબા કાંઠા કેનાલમાં 70 ક્યુશેક પાણી છોડાયું હતું. જમણા કાંઠા કેનાલમાં 100 ક્યૂશેક પાણી છોડાયું હતું. પાલીતાણા, તળાજા, ઘોઘા અને ભાવનગરના ખેડૂતોને ફાયદો થશે. આગામી દિવસોમાં ખેડૂતોની માંગને લઈ વધુ પાણી છોડાશે.