ગાંધીનગરમાં લોકરક્ષક અન્યાયની લાગણી સાથે આંદોલન કરી રહેલી મહિલાઓએ 44 દિવસ પછી અન્નનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. પાંચ મહિલાઓ અને ૩ પુરુષોએ આજે અન્નનો ત્યાગ કર્યો હતો. 1-8-18ના ઠરાવને રદ કરવાની માગણી સાથે આંદોલન વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. અન્નનો ત્યાગ કરનાર મહિલાઓને કંઇપણ થશે તો રાજ્ય સરકારની જવાબદારી રહેશે અને આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.