પાલનપુરના ચિત્રાસણી રેલવે સ્ટેશન પરથી બિનવારસી 12 પિત્તળના દેગડા હિટર લગાવેલી હાલતમાં મળ્યા છે. દેગડામાં લાગેલા હિટરને લઈ કેટલાક લોકોએ રેલવે સ્ટેશન પર બોમ્બ મુકાયાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પાલનપુર રેલવે પોલીસે દેગડા કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.