અયોધ્યા મામલા પર આવનારા સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર અત્યંત સાવચેત છે. પ્રધાનમંત્રી મોદીએ બુધવારે કેબિનેટની બેઠક કરી અને મંત્રીઓની સલાહ આપી કે ઉશ્કેરણીજનક નિવેદનબાજીથી દૂર રહેવું. કોર્ટના નિર્ણય પહેલા દેશમાં કોઈ અપ્રિય ઘટનાથી બચવા માટે સુરક્ષા વ્યવસ્થા પણ લોખંડી કરી દેવામાં આવી છે. હાલમાં અયોધ્યામાં ઠેર ઠેર સુરક્ષા જવાનો અને પોલીસના જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા છે.