કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાં પછી પાકિસ્તાન અસમંજસની સ્થિતિમાં મૂકાઈ ગયું છે. તેણે યૂએનથી લઈને મુસ્લિમ દેશો સુધીનો દરવાજો ખખડાવ્યો પરંતુ દરેક જગ્યાએ માત્ર નિરાશા જ સાંપડી. ડોનલ્ડ ટ્રંપે પણ સ્વીકાર કર્યો કે કાશ્મીરનો મુદ્દો દ્વિપક્ષીય છે અને તેમણે પીએમ મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો. જોકે ઈમરાન ખાને દેશને સંબોધતાં ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી.